મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)
======================================================================
જુઓ કયાંક રામાયણની ચોપાઈઓનો સુંદર પ્રાસ છે.
તો કયાંક ભાગવતની કથાનો કેવો મઝાનો ક્યાસ છે.
સંત પુનીત કેરા પગલે પગલે યાત્રા સંધો પથરાય છે,
તો પ્રમુખસ્વામી પગલે સંસ્કૃતિના અક્ષરધામો થાય છે.
બાપા સીતારામ જુઓ ક્યાંક સંતરામ પણ દેખાય છે,
જલિયાણ જોગીની સાથે ગીરનાર પરિક્રમ્મા થાય છે.
કયાંક ભજનો પ્રાર્થનાઓ ને અન્નદાન પણ કરાય છે,
યોગ ભગાવે રોગના નારે યોગ શિબિરો પણ થાય છે .
છે એવા કૈક જે લોક માનસમાં સ્થાન જમાવી જાય છે,
લોકસેવાને કાર્યક્ષેત્ર બનાવી માનવ પ્રેમ કમાઈ જાય છે.
===========================================================
સાથે બીજું એક રૂપ………………….
============================================================
હતું મને એમ કે આ તો આધ્યાત્મિકતાનો દેશ છે,
પણ કલ્પના કડવી બની આતો દેશ એવો વેશ છે.
કેટલાક બાપુઓ ને મહંતોનો આ કેવો આભાસ છે,
બનાવી બેઠા મઠો ને આશ્રમો કૈક વેપાર થાય છે.
સરકાર, નેતાઓ,અધિકારીઓ ભક્ત અનેરા થાય છે,
મફત જમીનો મેળવી ને આશ્રમો મોધાં બંધાય છે.
અહી વ્યભિચાર, વિલાસ વૈભવના અડ્ડા રચાય છે,
કયાંક દેશદ્રોહ અને બલિદાન કેરા ખેલ ખેલાય છે.
પ્રેમ ,પ્રતિષ્ઠા ને પૂજન સાથે સ્પર્શનો વહેવાર છે,
પ્રેમના તો અહી રોજ ઉજવાતા નવા તહેવાર છે.
કહેવાતા બાપુઓ , મહંતો દ્વારા ઈજજતો લુટાય છે,
અહી આશાઓની આશા ને રામોના રામ ભેરવાય છે.
===========================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )