પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન..કાવ્ય….એમને..કહું..પ્રભુ.’

હે પ્રભુ એને હું શું કહું ? ( કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on September 24, 2010

હે પ્રભુ  એને  હું  શું  કહું ?  ( કાવ્ય )
====================================================================
 
આપ્યો જન્મ જેણે જગતમાં , પાળી પોષી મોટો કર્યો,
 
એ જ સંતાનો માબાપને છેતરે તો, હે  પ્રભુ એને હું શું કહું ?
 
જેને ચુંટી મોકલ્યા પ્રજા  એ,  દેશની  સેવા  જ કરવા ,
 
એ  નેતાઓ જો દેશને લુંટે તો,   હે  પ્રભુ  એને  હું શું  કહું ?
 
જેને માથે  છે   જવાબદારી , દેશને  સુરક્ષિત  રાખવાની,
 
એ જ  લશ્કર વેચે દસ્તાવેજો તો, હે પ્રભુ   એને હું શું કહું ?
 
આજ   ચુંટણી ટાણે કરે છે,  વાતો ભાઈચારા ને  સદાચારની ,
 
એ  નેતાઓ ગાળાગાળી કરે તો,  હે પ્રભુ   એને  હું શું કહું ?
 
જેને  જગત ગણે  છે  માં પછી સંસ્કાર માટે  મહત્વના ,
 
શિક્ષક  લુટે આબરુ બાળાની તો , હે પ્રભુ એને હું શું કહું ?
 
સંસ્કારી  જીવન જીવે નહિ,  વાતો કરે  કાયમ  સંસ્કારની,
 
પિતા હેવાન બની ઈજ્જત લુટે તો, હે પ્રભુ એને  હું   શું કહું ?
 
કામકાજ  થશે અને સુખ  સગવડ મળશે,એવા  પરિપત્રો કરે,
 
ભ્રષ્ટાચારી  અધિકારીઓ  મળે તો,  હે પ્રભુ એને હું શું કહું ?
 
બાગી ના જોઈએ,આ બાગી,તે બાગી,એવા બુમ બરાડા કરે ,
 
પણ પોતે બાગીને ટીકીટ આપે તો, હે પ્રભુ એને હું શું   કહું ?
 
કાયમ દેશ ભક્તિના ભાષણો  અને  સુત્રો  એ  ઉચ્ચારતા,
 
‘વંદે માતરમ’ આવડે નહી એને  તો, હે પ્રભુ એને હું શું કહું ?
 
બધું  બરાબર છે ને થોડા દહાડે આગાહી આતંકવાદની ,
 
એ જ પોતે ક્માંન્ડોમાં ફરે  તો , હું  પ્રભુ  એને  હું શું કહું ?
 
વાતો કરે કાયમ ગૌરવ ને ભારતીય ભવ્ય  સંસ્કૃતિની ,
 
‘સ્વપ્ન’ પુરા ના કરે એ કોઈ દિ તો, હે પ્રભુ  એને હું શું  કહું  ? 
 
===================================================================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર   ( ગોવિંદ  પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 4 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers