ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે…
======================================================
જુઓ ગાંધીના નામે ગઠીયા કૈક તર્યા ,
મતની ભીખ માંગતા એજ કાયમ ફર્યા.
કાર્યો દેશ કે જનતા તણાં કંઈ ન કર્યાં ,
નફફટ થઈને બધાએ ખોટા નાટક કર્યા .
=====================================================
હવે એ સરદારના નામે નિવેદનો કરે,
એક બીજાને પછાડવા સભાઓ જ ભરે.
સરદાર છે સહુના ને રહેશે જીવનભર,
સતા તમને ના મળે તો સરદાર શું કરે.?
====================================================
બન્ને પક્ષોએ સરદારનું કયું કાર્ય જ કર્યું,
ના કાશ્મીર કે નક્સલવાદે એક પગલું ભર્યું.
પરદેશી શાસનમાં શહેરને પણ સમૃદ્ધ કર્યું,
હર દેશવાસીના હૈયે સરદાર નામ જ ચઢ્યું .
====================================================
રહેવા દેજો નિવેદનબાજી ના કરો મહેરબાની કરી,
સરદાર કેરી દેશદાઝ અને સેવાભાવના છે ખરી.?
સરદાર એક જ હતા ને એક જ રહેશે દુનિયાભરમાં ,
સ્વપ્નદ્રષ્ટા ભારતનાને સમરજો દિલમાં પ્રેમ ધરી.
====================================================
શુરવીર એવા સરદાર જવલ્લે જ મળે છે,
સાચા દેશસેવક સરદાર જવલ્લે જ મળે છે.
દ્રઢસંક્લ્પી એવા સરદાર જવલ્લે જ મળે છે,
ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે.
======================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )