પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન..કાવ્ય..ભ્રષ્ટાચાર..દિન…બજેટ..’

ભ્રષ્ટાચારની લડત …… ( કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on April 7, 2011

ભ્રષ્ટાચારની લડત …. ( કાવ્ય )

=======================================================

પ્રખર  ગાંધીવાદી એવા આદરણીય વડીલ શ્રી અન્ના હજારેની

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં અમેરિકાના લોસ એન્જલસ

શહેરમાંથી હું મારો ટેકો જાહેર કરું છું.

==================================================================

ગામ શહેર રાજ્યો દેશ ક્યાંય બાકી રાખ્યું નથી

જમીન મકાન કોલોની  લુંટવામાં બાકી રહ્યું નથી

લશ્કરના સોદોઓ  સરહદો વેચવામાં બાકી  નથી 

માણસ માણસને વેચવામાં પણ કંઈ બાકી   નથી 

જળને જમીનના સોદો કરીને ખીસાં ભર્યા છે આપે 

હવે તો આસમાન બાકી રહ્યું છે  શાને બાકી  રાખે

સગાંવાદ  ભાઈ ભત્રીજા વાદ કોઈ ખૂણે બાકી નથી

દેશ  મિલકતને પોતીકી ગણી લુંટવાનું બાકી નથી

છો  બહુ ચોખ્ખા તો લોકપાલ બિલથી ગભરાવ શાને ?

અન્નાજી માંગે છે તેવું બીલ  લાવી દેવામાં  વાર   શાને ? 

જાગી ઉઠી છે જનતા ને ભ્રષ્ટાચારીઓ હવે ભાગશે

જન જન ભવ્ય ભારતનો આ લડતને  સાથ આપશે

========================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 10 Comments »

ભ્રષ્ટાચાર દિન……. ( કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on February 10, 2011

ભ્રષ્ટાચાર દિન…….   ( કાવ્ય )
 
===========================================
 
જુઓ વિવિધતામાં એકતા ભારતની વખણાય 
 
વિવિધ ધર્મોના ઉત્સવોપણ ભાવથી ઉજવાય   
 
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ભાવપૂર્ણ  થાય
 
મહાનુભાવોની જન્મ-પુણ્ય તિથિઓ ઉજવાય
 
૧૨ ફેબ્રુઆરી બાપુનો સર્વોદયદિન મનાવાય
 
સર્વોદય ને બદલે આજે બધે  સ્વ-ઉદય દેખાય
 
મનાવવો છે  ભ્રષ્ટાચાર દિન ક્યારે ઉજવાય ?
 
અંદાજપત્રના દિનને ભ્રષ્ટાચારદિન કહેવાય
 
નક્કી કરી દેવું પહેલેથી શેમાં કેટલું ખવાય ?
 
ફાળવણી માયાજાળની લોકોને ઉલ્લુ બનાવાય
 
પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય
 
ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ? 
 
 
==========================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: , | 16 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers