સત્તાનું સમરાંગણ ….. ( કાવ્ય-ગઝલ )
=======================================================
આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ )ના કાવ્યોની અસર.
એમનું કાવ્ય રાજરાણી ( જીભ )એના પરિપાક રૂપે આ કાવ્ય
રચવાની પ્રેરણા …..શ્રી આકાશદીપને ખુબ અભિનંદન..
=======================================================
ગુજરાતના એક ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીજીની એક
ગઝલ “ માનવ ના થઇ શક્યો તો ઈશ્વર બની ગયો “ ઉપરથી
લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આપને ગમશે..
========================================================
માનવ સત્તાના સમરાંગણમાં કેવો ફસાઈ ગયો.
એશ આરામ અને મોહમાં એવો વધેરાઈ ગયો.
મોટાઈ કેરા નશામાં દોડ્યો જ હતો એવો,
ગાંધી બાપુ તણા એ વહેમમાં બુશ વણાઈ ગયો.
આતંકવાદ કેરા આખલા ઘૂમી રહ્યા ચારેકોર,
ઓબામાં કરતાંય ઓસામા ખુબ ચર્ચાઈ ગયો.
પટના બની ગયું હતું જે પૂતના પંદર વર્ષથી,
બિહાર નિત ઈશની માળા જપતો થઇ ગયો.
રાહુ અને વરુ આજ કાલ બાખડતાં જ રહ્યા,
સો-મે તણાં નિયા ને નકા માં જ ભરાઈ ગયો.
દિગ્ગી,મનીષ,નીતિનની લપસણી તો કમાલ,
બત્રીસીમાંથી બહાર આવીને લેખ છપાઈ ગયો.
અરુંધતી ગીલાની ને મળ્યા અબ્લુલ્લા ઓમર,
જીભ એમનીને ઝરદારીનો સ્વાદ લેવાઈ ગયો.
શહીદોની શાનમાં છે આ સ્વપ્ન કેરું સમર્પણ,
સંસદની શાનમાં તો જીવન દીપ બુઝાઈ ગયો.
==============================================
રાહુ — રાહુલ ગાંધી , વરુ —– વરુણ ગાંધી,
સો–નિયા ગાંધી , મેં – નકા ગાંધી, નિત ઈશ—નીતિશ
દિગ્ગી- દિગ્વિજય , મનીષ- મનીષ તિવારી, નીતિન- ગડકરી,
લપસણીની કમાલ- ગમે તેવા નિવેદનો કરવાં તેના સંદર્ભમાં.
બુશ એટલા માટે કે સત્ય ને શાંતિ કરતા લડવું ( સંસદમાં )
છેલ્લી પંક્તિઓ સંસદના હુમલામાં જાન ન્યોછાવર કરનાર શહીદોના
સન્માન અર્થે ………………જય જવાન……જય હિન્દ ……………….
==================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )