પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન…જાણવા..જેવું…રાષ્ટ્રધ્વજ …સૂચનાઓ’

સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોનાં નામ ફ્લેગ અને રાજધાની

Posted by પરાર્થે સમર્પણ on August 15, 2011

સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય  દેશોનાં  નામ  ફ્લેગ અને રાજધાની

================================================================================

આજે ૧૫ મી ઓગસ્ટ હજારો લાખો આઝાદીના દીવાનાઓની શહાદત દ્વારા મળેલ આઝાદીના

અવસરને વધાવીસ્વચ્છ, દેશદાઝથી ભરપુર  અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ

કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના દેશોનું સંચાલન કરીદુનિયાને કુરબાની, શાંતિ પ્રિયતા અને પર્યાવરણનો

 સંદેશ દઈ પ્રગતિના ચક્રને સદાય ફરતું રાખીએ.

====================================================================================

જેમ આપની આન બાન અને શાન સમો ત્રિરંગો આપનું પ્રતિક છે તેમ દુનિયાના બીજા દેશોના

નામ પ્રતિક અનેરાજધાનીના શહેર વિષે માહિતી માણીએ.

====================================================================================

આ માહિતી દેશના પ્રતિક સાથે રાજધાનીનું નામ ગુજરાતીમાં કરવાનું અદભૂત કાર્ય “વાંચન યાત્રા ”

બ્લોગના આદરણીય શ્રી. અશોકભાઈ મોઢવાડિયાજીએ કર્યું છે.જે બદલ હું તેમનો આભારી છું .

ગુજરાતી બ્લોગ જગતના મિત્રો પણ તેમના આ શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થી જગતને મદદરૂપ

માહિતી બદલ વધાવશે એવી અપેક્ષા સહ……. જય હિન્દ…..ભારતમાતાકી જય.

સ્વાતંત્ર્ય દિનની શુભ કામના………વંદે માતરમ……જય ભારત ..જય જવાન ..જય કિશાન

========================================================================

 

અમારી આન બાન શાન સમો મુગટ પ્યારો ત્રિરંગો સદા લહેરાતો રહે. 

============================================

સયુંકત રાષ્ટ્ર સંઘના પ્રતિક સમો ધ્વજ

=========================================================================================

=============================================================================================

સંકલન– સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

Posted in સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: | 24 Comments »

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત અને નિયમો

Posted by પરાર્થે સમર્પણ on August 12, 2011

 Rajesh Patel10:31pm Aug 10
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત અને નિયમો
====================================================================
 
વહાલા વાચક મિત્રો ” આર. એ. શેઠ  કન્યાશાળા . રાણપુર “ ના શિક્ષક મિત્ર શ્રી રાજેશભાઈ પટેલ
 
તરફથી એક મેઈલ મળ્યો તે અત્રે  રજુ કરું છું=======
 
આપનો ખુબ આભાર શ્રી રાજેશભાઈ.
 
 
 
ચિત્ર માટે ગુગલનો ખુબ આભાર.
 
 
૨૬મી જાન્યુઆરીએ અને પંદરમી ઓગસ્ટે  રાષ્ટ્રધ્વજ ઉમંગથી ફરકાવાય છે. ત્યારે તે અંગે પાળવાના
 
 નિયમોની સમજ અહીં આપી છે.
 
રાષ્ટ્રધ્વજ ત્રિરંગી છે અને તેમાં સૌથી મથાળે કેસરી, વચ્ચે સફેદ અને નીચેના ભાગમાં ઘેરો લીલો એમ
 
 ત્રણ એક સરખા પટ્ટા છે.
 
તેની લંબાઈ-પહોળાઈ ૩થી ૨ના પ્રમાણમાં છે. ધ્વજ પરની સંજ્ઞા સારનાથના અશોક સ્થંભની આબેહૂબ
 
પ્રતિકૃતિ છે અને સફેદ પટ્ટા જેટલીપહોળી છે. સંજ્ઞાનો રંગ ઘેરો વાદળી છે અને ચક્રને ૨૪ (ચોવીસ)
 
આરા છે.
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
 
ગૃહ અને સંરક્ષણ ખાતાના વડા મથકોએ રાષ્ટ્રધ્વજના સમૂચિત ઉપયોગ માટે નિયમો પણ ઘડયા છે.
 
રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકી શકાતા નથી. બીજા
 
ધ્વજરાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ મૂકાયછે. જ્યારે બીજા બધા ધ્વજ સહિત ઊંચો કરવો હોય ત્યારે તે
 
સૌથી પહેલો ઊંચો કરવામાં આવે છે અને સૌથી છેલ્લો નીચે લાવવામાંઆવે છે.
જ્યારે રાષ્ટ્રધ્વજ બીજા ધ્વજોની સાથે લહેરાવવાનો હોય ત્યારે તે સૌથી મથાળે ફરકાવવો જોઈએ.
 
તેનેસીધા કે આડા ન ઊંચકતા હંમેશાંઊંચો જ રાખવો જોઈએ. જ્યારે સરઘસમાં તેને લઈ જવાતો
 
હોય ત્યારેતેને જમણા ખભા પર ઊંચો અને પ્રદર્શનના મોખરે રાખવોજોઈએ.
 
જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કેકાઠેરામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ
 
 આવવો જોઈએ.
 
સરકારી મકાન અને રાષ્ટ્રધ્વજ
 

સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અગત્યના મકાનો જેવાં કે વરિષ્ઠ અદાલતો,

 
સચિવાલયો,કલેક્ટરોની કચેરીઓ પરફરકાવવામાં આવે છે. ભારત પ્રજાસત્તાકના પ્રમુખ અને
 
રાજ્યોના ગવર્નરોને તેમનાપોતાના અંગત ધ્વજ હોય છે.
ખાસ કરીને સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતી અને રાષ્ટ્રીય ઉત્સવ જેવા કેટલાક
 
ખાસ પર્વોએ તેનો છૂટથી ઉપયોગ કરવામાંઆવે છે અને રાષ્ટ્રધ્વજ સવારથી સાંજ સુધી
 
ફરકાવવામાં આવે છે.

 
(રાત્રીના રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ)
 
 
.
રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
 

વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ

 
કરવાની સાચી રીત કઈ તે સમજાવવામાટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના
 
 નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.
સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ
 
ઇન્સ્ટિટયૂશનદ્વારા રાષ્ટ્રધ્વજ માટેઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો  ઉપયોગ
 
કરવો, બીજાપ્રસંગોએપણયોગ્યકદનારાષ્ટ્રધ્વજફરકાવવા ઇચ્છનીય છે.
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત
 
(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ
 
દેખાઈ આવે તેરીતે ગોઠવાયેલો હોવોજોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો
 
સમેત બધા જ દિવસો સમેત બધા જદિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે
 
પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસપ્રસંગોએ રાત્રે પણ
 
 રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે
 
વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાનાસરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ
 
 ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવીજોઈએ એટલે કે
 
તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના
 
અગ્ર ભાગમાં ફરકાવવામાંઆવનાર હોયત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી
 
 પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય
 
ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપરરહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે
 
રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય
 
ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તેરીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ
 
 રહે તે રીતે ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ.
 
તેમ જો થઈ શકે તેમ ન હોય તોતો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
 
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ
 
 દેખાયતે રીતે અને જુદો તરીઆવે તેમ રાખવો જોઈએ.
નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં
 
 આવેલાસળિયા પર તે ફરકાવવોજોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ
 
રહેવો જોઈએ અથવા બીજાધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.
 

 

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત
 

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં.

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.
(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએએની
 
 ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જજેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો,હારતોરા
 
અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.
(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે
 
પણ ઉપયોગ કરી શકાશે નહીં.તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન
 
કાપડનાટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશેનહીં.
 
(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં
 
વાપરી શકાશે નહીં.
(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.
(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો
 
રાખી શકાશે નહીં.
 
(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.
રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ
(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત
 
તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે
 
 ઉપયોગ કરી શકાશે નહીં.
(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.
(૪) રાષ્ટ્રધ્વજને નુકશાન  પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી
 
દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશકરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને
 
 કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવોજોઈએ.
(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.
(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં.
 
તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશેનહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને
 
છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ
 
કરી શકાશે નહીં.
(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.
(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી
 
રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈજાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.
 
(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ
 
એક સાધન તરીકે કરી શકાશે નહીં.
 
રાષ્ટ્રધ્વજનું કદ
 

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ
૭ ફૂટ બાય ૬ ફૂટ
૬ ફૂટ બાય ૪ ફૂટ
૩ ફૂટ બાય ૨ ફૂટ
૭ ઇંચ બાય ૬ ઇંચ
આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.
કેન્દ્ર સરકારની પરવાનગી વગર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ અગર તો એના રંગનું અનુકરણ
 
કોઈ પણ વ્યાપાર,ધંધા, રોજગાર અથવા કોઈવસ્તુના ‘પેટન્ટ’ અથવા ચિહ્ન તરીકે અથવા
 
 ’ટ્રેડમાર્ક’ અથવા ડિઝાઈન તરીકે કરવામાં આવશે  તો તે ગુનાને પાત્ર ઠરશે.
-
R.A.Sheth kanya sala,Ranpar
રાજુભાઈ

=====================================================================================================================

 
સંકલન=== સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...જાણવા જેવું ...અનોખું.. | Tagged: | 6 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers