પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘રાષ્ટ્ર પ્રેમ…. દેશ ભક્તિ..’

લાલ કિલ્લે ત્રિરંગા દર્શન…( કાવ્ય-ગઝલ )

Posted by પરાર્થે સમર્પણ on January 26, 2011

લાલ કિલ્લે ત્રિરંગા દર્શન…( કાવ્ય-ગઝલ )

=============================================================

 

                મુક્તક

ક્યાંક ગોળીઓ વછુટી ને  ક્યાંક  ધરપકડો થઈ

કદીક  ઈમારતો તો કદીક મેદાનોમાં ફરકતો રહ્યો

 ઉન્નત રાખવા કૈક બલિદાનો હારમાળા સર્જાઈ

આઝાદીની ઉષા ટાણે લાલ કિલ્લે ફરકતો જ રહ્યો

===================================================================

 

આદરણીય શ્રી રમેશભાઈ પટેલ ” આકાશદીપ”ના બ્લોગમાં રાજપથ

પર જોવા મળ્યું ” નાનું ભારત “  જોયું સુંદર મનમોહક ચિત્રો દ્વારા એક

અનોખું ભારત દર્શન કરાવ્યું તે જોતા જ એક કાવ્યની સ્ફૂરણા થઈ તે….

==========================================================================

 

 લાલ કિલ્લે ત્રિરંગા દર્શન…( કાવ્ય -ગઝલ )

==========================================================

રાજપથે  નિહાળ્યું  અનોખું  ને અમુલ્ય ભારત

“આકાશદીપે” અલભ્ય એવું ભારત  દર્શન કરાવી દીધું

નિહાળી દેશ પ્રદેશની ઝલકો ને ઝાંખીઓ તાદ્રશ્ય

દિલમાં ભરીને આશા  ઉમંગો થકી અમે માણી લીધું.

હતી શ્યામ સલોણી આ પરદેશની ભૂમિ પર

તારીખ પચ્ચીસમીએ છવ્વીસમીનું  દર્શન કરી લીધું

ફરકતો જોઇને તિરંગો લાલ કિલ્લા પર ગગને

ઉભા રહીને ટી..વી. સામે જ  ધ્વજ વંદન  કરી લીધું

ફર્ક હતો સમયનો અને  જોજનો દુર હતા અમે

ધ્વજવંદન કરી સલામી આપી  રાષ્ટ્રગીત ગાઈ લીધું

યુગો યુગો સુધી ફરકતો રહે તિરંગો આસમાન પર

શહીદોના બલિદાની  ઈતિહાસ કેરું રસપાન કરી લીધું.

========================================================

સ્વપ્ન જેસરવાકર  ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: , | 6 Comments »

ફરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો… ( કાવ્ય-ગઝલ )

Posted by પરાર્થે સમર્પણ on January 26, 2011

ફરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો… ( કાવ્ય-ગઝલ )

 

મારા પ્રિય ભારતીય જનો જય હિન્દ ….આપના દેશના આન બાન અને શાન

 

સમા આપના રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગા વિષે એક કાવ્ય રચ્યું છે આશા છે કે આપને

 

ગમશે. ………………. ગમે તો વધાવજો………………..

  

ગુજરાતી બ્લોગ જગતના લેખક વડીલો, મિત્રો,બહેનો તેમજ ભારતીય ગણ તંત્રના જન જન  

 

 તમામને સ્વપ્ન જેસરવાકર તરફથી  ભારતીય ગણતંત્ર દિનની શુભ કામના…..

 

 જય જવાન……….   વંદે માતરમ ……… જય કિશાન…   ભારત માતા કી જય

 

==========================================================================

==========================================================================

 

ફરકતો રહે મરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો

 

શાન કાજે જવાનોએ બલિદાનની ટોળી  બનાવી છે

 

રંગ  તારા અનોખા અને નિરાલા  લાગે હમેશાં

 

હર રંગમાં રંગાઈ જઈને ઈદ ને   હોળી  મનાવી છે

 

ઉગે દિનને રાત અનોખી  ભાત પાડી  જીવનમાં  

 

અમે પતેતી, ક્રિસમસ,પર્યુષણ,દિવાળી મનાવી છે

 

શાંતિ, હરિયાળી, બલિદાનની  ભાવના દિલમાં

 

અશોકચક્ર જેમ વિકાસ ગતિની  ગાડી દોડાવી  છે

 

સત્ય અહિંસા તણા છીએ સાચા સમર્થક હમેશાં

 

વખત આવ્યે દુશ્મનને કરડી આંખ જ  બતાવી છે

 

સહન કર્યા જુલ્મો ને કરી છે બલિદાનની સફર

 

દેશ ભક્તિ રંગ કેરી કસુંબલ મહેફિલ  જમાવી છે

 

ધ્યેય જીવનનું કાયમ છલકાશે આ આયખામાં

 

ભગત,સરદાર,સુભાષ,ગાંધીની યાદો સમાવી  છે

 

તુજ શાન કાજે મોત વહાલું કરવાને ક્ષણમાં

 

દેશદાઝ કેરી જ્યોત દિલમાં  કાયમ  જલાવી છે

 

=============================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 12 Comments »

દેશને મળશે સરદાર ને સુભાષ કેટલા ? ( કાવ્ય)

Posted by પરાર્થે સમર્પણ on January 25, 2011

દેશને મળશે સરદાર ને સુભાષ  કેટલા ?….. ( કાવ્ય )
 
Image of Sardar Vallabhbhai Patel
 
 
 
 
 
====================================================================
 
( આં કાવ્ય સર્જન આઝાદીના પચાસમાં વર્ષે કરેલ છે..)
 
==================================================
 
 
હું પુછું  છું હે ઈશ્વર હવે દેશને મળશે  સરદાર અને સુભાષ કેટલા ?
 
પચાસમાં  વરસે આપી દે ભારતને રામ-રાજ્યના આદર્શ એટલા
 
આજ કૌભાંડોના કારનામાં મહીં દેશના નાણાંની ખુવારી જ છે
 
પૂછી જુઓ નેતાઓને દેશને લુંટવા હજી જોઇશે વરસો કેટલા ? 
 
દર્દથી પીડાતી જનતાને આજે,  આંસુ  નિસાસાની કોઈ કમી નથી
 
ભષ્ટાચારમાં આળોટતા નેતાઓને આગોતરા જામીનના કારસા કેટલા ?
 
પક્ષ પલટા ને કાવાદાવા વડેની સરકારોની  દેશમાં કમી જ નથી
 
સતા ને સ્વાર્થમાં જુદાપણું નથી, સતા વિના સેવાના નશા કેટલા ?
 
સતાની સાબરમતીમાં તરીતરીને, નાણાંની નર્મદા તો કૌભાંડોમાં ગઈ
 
કારસ્તાનોથી કાવેરી પણ શરમાઈ ગઈ હવે ચુંટણી ગંગામાં નહાશો કેટલા  ?
 
વર્ષો  વર્ષથી પ્રજા પીડાતી જ રહી, જનતાના ‘સ્વપ્ન’ સાકાર થતાં  નથી
 
રામરાજ્યની કલ્પના રાખ બની, હવે આં દેશના માલિકો અને વારસો કેટલા  ?
 
=========================================================
 
 સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: , | 8 Comments »

અમે ભારત માતાનાં બાળકો રે….

Posted by પરાર્થે સમર્પણ on August 7, 2010

  અમે ભારત  માતાનાં બાળકો રે… 

==================================================================================
 
અમે  ભારત માતાનાં  બાળકો રે,
                       જેનો  ગરવો  ગણાય  ઈતિહાસ રે….  અમે ભારત.
જેને  શિરે  હિમાલય  શોભતો   રે,
                        જેમાં  ગંગા  નદીનો   નિવાસ  રે…… અમે ભારત.
વેદ ગીતા લખાયા જેની ગોદમાં રે,
                       મહા ભારત  રામાયણ   સાથ  રે……  અમે ભારત.
રામ કૃષ્ણ  ને  બુદ્ધ ની   ભોમકા રે,
                       વિનોબાજી જ્યાં દેતા  પ્રકાશ રે …… અમે ભારત.
જેમાં ગાંધી ગોપાળ ને તિલક થયા રે,
                      જેમાં જન્મ્યા   જવાહરલાલ  રે ……… અમે ભારત.
થયા  રાણા પ્રતાપ ને  સુભાષ  જયાં  રે,
                     થયા  શિવાજી  સરીખા  મહાવીર  રે…. અમે ભારત.
જેમાં ભગતસિંહ ને  સુખદેવ  થયા રે ,
                     થયા  આઝાદ શા એકલવીર   રે…….  અમે ભારત.
કર્યું   છે  અખંડ ભારત  જેમણે   રે ,
                     થયા  છે  સરદાર  શા  શુરવીર રે…… અમે  ભારત.
આવે છે  આઝાદ દિન  અનેરો રે,
                    લખીએ  અનેરો અમર ઈતિહાસ રે….અમે  ભારત. 
=================================================================================
 
” સ્વપ્ન”  જેસરવાકર    ( ગોવિંદ પટેલ)

Posted in સ્વપ્ન...દેશ ભક્તિ..રાષ્ટ્ર પ્રેમ. | Tagged: , | 4 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers