ભ્રષ્ટાચાર દિન……. ( કાવ્ય )
===========================================
જુઓ વિવિધતામાં એકતા ભારતની વખણાય
વિવિધ ધર્મોના ઉત્સવોપણ ભાવથી ઉજવાય
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ભાવપૂર્ણ થાય
મહાનુભાવોની જન્મ-પુણ્ય તિથિઓ ઉજવાય
૧૨ ફેબ્રુઆરી બાપુનો સર્વોદયદિન મનાવાય
સર્વોદય ને બદલે આજે બધે સ્વ-ઉદય દેખાય
મનાવવો છે ભ્રષ્ટાચાર દિન ક્યારે ઉજવાય ?
અંદાજપત્રના દિનને ભ્રષ્ટાચારદિન કહેવાય
નક્કી કરી દેવું પહેલેથી શેમાં કેટલું ખવાય ?
ફાળવણી માયાજાળની લોકોને ઉલ્લુ બનાવાય
પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય
ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ?
==========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય
ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ?
……………………….
ભ્રષ્ટાચારમાં એકતા..
પ્રજાને જોરના ઝટકા
સરાહનીય સુંદર મઝાનો સંદેશ..શ્રી ગોવિંદભાઈ,
Ramesh Patel(Aakashdeep)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
આપના વસંતના વધામણે પુનીત પગલે પધારી અનોખો પ્રતિભાવ લાવ્યા તે બદલ આભાર.
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
જુઓ વિવિધતામાં એકતા ભારતની વખણાય
વિવિધ ધર્મોના ઉત્સવોપણ ભાવથી ઉજવાય
આપની ઉપરોક્ત કડીમાં જે ભાવ છે તે દેશની ઓળખાણ નો છે, અને હાલના રાજકારણીઓએ ઉપરોક્ત કડીને પોતાન જીવનમાં અન્ય રીતે યથાર્થ ઠેરવી છે, વિવિધ રીતે ભ્રષ્ટાચારમાં એકતા છે અને તે પણ વિવિધ ધર્મના/ પક્ષના લોકો ભેગા થઈને આચરે છે.
LikeLike
આદરણીય શ્રી અશોકકુમાર,
આપની વાત તદ્દન સાચી છે. દરેક પક્ષના લોકો ભેગા મળી દેશને ( પ્રજાને ) લુટી રહ્યા છે.
આપ મારે આગણે પધારી સુંદર મજાનો પ્રતિભાવ લાવ્યા તે બદલ આપનો ખુબ આભાર
LikeLike
શ્રી ગોવિંદ રાજા,
તમારે નેતા બનવાની જરૂર હતી. ત્યાં રૂબરૂમાં આ બધાને તડ ને ફડ સંભળાવત તો ખરા.
મને અને ઘણા મિત્રોને યાદ છે કે આપ શિક્ષક હતા ત્યારે શિક્ષકોની સાચી વાત હોય ત્યારે
તાલુકા અને જીલ્લા પંચાયત પ્રમુખ , કલેકટર ,મામલતદાર કે ધારા સભ્ય ને પ્રધાનોને
સંભળાવી દીધું છે. ઘણી વાર તો જોરના ઝટકા જેવી શાયરીઓ પણ ઝટકાવતા. અને
માઈક લઇને જાહેરમાં ખખડાવતા. હજુ પણ એવો મિજાજ. કોઈની પરવા નહિ.
LikeLike
શ્રી ચંદુભાઈ,
ખુમારી ને નીડરતાથી જીવવું એ મારો સિધ્ધાંત છે સાચી વાતે લડવું પડે.આપના સરાહનીય સંદેશ બદલ આભાર.
LikeLike
સત્ય ઉજાગર કરતું કાવ્ય
LikeLike
શ્રીમતી રઝીયાબહેન
આપનું આગમન એ અમારો અનેરો આનદ . સાથે સુંદર મઝાનો સંદેશો લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike
પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય….
ગોવિંદકાકા આ છે સ્વાર્થની દુનિયા અહિયા કોણ જોવે છે બીજાનું ભલું અહીયાતો બસ બધાને છે બસ પોતાના ખીસા ભરવા…..
LikeLike
ભાઈ શ્રી તપનભાઇ ,
ભૂખડી બારશ જેવા નેતાઓએ દેશનું નખ્ખોદ વળી દીધું છે.
આપના આગમન સાથે પ્રેમભર્યો સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
વાહ ..વાહ .. મુરબ્બી શ્રી ગોવિંદભાઈ ,
નક્કી કરી દેવું પહેલેથી શેમાં કેટલું ખવાય ?
ફાળવણી માયાજાળની લોકોને ઉલ્લુ બનાવાય
પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય
ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ?
LikeLike
આદરણીય શ્રી પ્રહલાદભાઈ,
આપના આગમન સાથે પ્રેમભર્યો સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
આજના નેતા બધા ગરીબ થઈ ગયા એટલે આદુ ખાયને…………..?………..?
LikeLike
શ્રી કિશોરભાઈ,
આપની વાત સાચી છે. ભારતના ભ્રષ્ટાચારી નેતાઓ આદું ખાઈને પડ્યા છે.
આપ પધાર્યા અને અમુલ્ય પ્રતિભાવ દર્શાવ્યો તે બદલ ખુબ આભાર.
LikeLike
jo bhrashtachar na thay to swisbank bandh thai jay…;)
LikeLike
શ્રી માધવભાઈ,/હર્ષદભાઈ,
અપની વાત સાચી છે. સ્વીસ બેંક ભારતના ભ્રષ્ટાચારી નેતાઓ અને ઉદ્યોગપતિના
બે નંબરના નાણાંથી જ ચાલે છે. આપ પધ્ર્યા અને અમુલ્ય પ્રતિભાવ દર્શાવ્યો તે
બદલ ખુબ ખુબ આભાર.
LikeLike