Monthly Archives: ઓક્ટોબર 2013
હરખે ભર્યો ઉમંગ અતિ…કાવ્ય

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)
કબૂલાતનામું
આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબના
” કબુલાતનામા” ને શત શત વંદન
================================
“કાર્ય છે સરાહનીય ને હર કાર્યે થયા ઉતીર્ણ
સહુને ગમતા સહુને ભાવતા નામ છે પ્રવિણ
પોતાનો બ્લોગ નહિ ને પરને કરી દે અર્પણ
નિખાલસ ભરી વાતો કરે ને કરી દે સમર્પણ”
=====================================================
કબૂલાતનામું
===================================================================
૨૦૦૯ ના ફેબ્રુઆરી માસથી શરૂ કરી આજ સુધીમાં મેં
આસરે ૨૦૦ પોસ્ટ અલગ અલગ બ્લોગમા મૂકી.
એમાથી ૫૦ કવિતાઓ હતી ને ૧૫૦ જેટલા લેખ હતા.
મેં કયારે પણ લેખક કે કવિ હોવાનો દાવો કર્યો નથી.
શરૂ કર્યું ત્યારથી આજ સુધી મને અહેસાસ છે કે શિક્ષણને
નાતે અને વ્યવસાયને નાતે હું એક એંજીનીઅર છું,
અને મારૂં વ્યક્તિત્વ એક આંકડા ગણતા એંજીનીઅરનું છે.
સાહિત્ય સાથે મારો દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી.
અને મારા કોઈપણ લખાણમાં, ક્યાંયે સાહિત્યની ઝલક નથી.
ઈંટ ઉપર ઈંટ મૂકી જેમ મકાનનું ચણતર થાય, તેમ શબ્દો
ગોઠવી મેં કવિતા કરી અને લેખ લખ્યા. મારા લખાણમાં ક્યાંયે
કોઈ સંદેશ નથી, કંઈ જ્ઞાનની વાત નથી, અધ્યાત્મ નથી અને
શિક્ષણ પણ નથી. વિષય ઉપરછલ્લા છે,એમાં કોઈ ઉંડાણ નથી,
એમા છે તો માત્ર વાણી વિલાસ છે.
મારા લખાણને તમે structured writings કહી શકો.
મારી સૌથી મોટી નબળાઈ મારૂં ખરાબ ગુજરાતી વ્યાકરણ છે.
મારી જોડણીમાં અનેક ભૂલો હોય છે. અનુસ્વાર મને હંમેશાં
મુંજવણમાં મૂકે છે. સ,શ કે ષ નો નિર્ણય પણ મને મુંજવે છે.
દ અને ડ મને દ્વિધામા મૂકે છે. થોડે અંશે જ અને ઝ નું પણ
આવું જ છે. અને તેમ છતાં મેં ૨૦૦ જેટલી બ્લોગ પોસ્ટ લખીને
બ્લોગમાં મૂકી દિધી એ મારા માટે પણ આશ્ચર્યની વાત છે.
સવાલ એ છે આમ મેં શાનાથી કર્યું?
મને લાગે છે કે બ્લોગ્સમાંથી મને જે નવા મિત્રો મળ્યા અને
એમણે જે પ્રોત્સાહન આપ્યું, એ મારા માટે લખવા માટેનું કારણ
બની ગયું.
આજે મારા E-group માં ૧૮૦ નામો છે,
આમાથી ૧૪૦ જેટલા મારા બ્લોગ-મિત્રો છે. જેમને કદી
જોયા નથી, જેમની સાથે ટેલીફોનમાં પણ વાત કરી નથી,
એવા અનેક જાણે કે નજીકના મિત્રો હોય એવું લાગે છે.
અહીં એક બીજી મહત્વની વાત કઈ દઉં. મોટા ભાગના આ નવા
મિત્રો ઉમરમાં મારી નજીકના છે,
એટલે કે ૬૦ + છે. આનો એક ફાયદો એ છે કે અમે એકબીજાની
વાત સારી રીતે સમજી શકીએ છીએ.
આજે મારે ૨૫-૩૦ વર્ષના યુવકો સાથે વાત કરવી હોય તો
મને આટલું સહેલું ન લાગે.
આ બધું મેં આજે એટલા માટે લખ્યું છે કે
Now I am running out of steam.
મને આજકાલ નવું લખવા વિષય મળતા નથી.
મારા લખાણ વાંચનારાઓનો ઉત્સાહ પણ ઓછો થયો છે
એવું મને લાગે છે.
બ્લોગ માટે લખવામા જે સમય વ્યતિત થાય છે એ સમય માટે
alternative activity શોધવા પ્રયત્ન કરૂં છું.
==================================================================
-પી.કે.દાવડા
નવલી નવરાત્રિ અને ચાર તાલ….
નવલી નવરાત્રિ અને ચાર તાલ….
=======================================
સર્વે મિત્રોને નવલી નવરાત્રિની શુભ કામના
આ ચાર તાલ ભેગા મળે ત્યારે ગુજરાતની ઓળખ બને
નરસિંહ મહેતા ની …………….. કરતાલ .
ભગવાન સ્વામી નારાયણનું….. વડતાલ .
મહાત્મા ગાંધી બાપુની……………હડતાલ .
નવરાત્રીના ગરબાના………તાલીના તાલ .
વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય ) સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી
વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય ) સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી


સ્વપ્ન જેસરવાકર