મળવા જેવા માણસ..આદરણીય વડિલ શ્રી શકુર સરવૈયા…શ્રી પી.કે દાવડાજી
આજના મળવા જેવા માણસ શ્રી શકુર સરવૈયા, બ્લોગ જગતમાં ઓછા જાણીતા
પણ મોટા ગજાના કવિ અને ગઝલકાર છે. હું અને શકુરભાઈ એક જ શાળાના
વિદ્યાર્થીઓ છીએ.
(શકુરભાઈ એમના માનીતા પક્ષી સાથે)
શકુરભાઈનો જન્મ ૧૯૩૯માં મુંબઈના એક ઉપનગર ધાટકોપરમાં થયો
હતો.એમના પિતાની ધાટકોપરના મુખ્ય માર્ગ ઉપર વાસણોની બે નાની
દુકાનો હતી.એમની માલિકીની દસ ભાડુઆતોવાળી એક પતરાંની ચાલ
હતી. પ્રત્યેકભાડુત પાસેથી મહિને દસ રૂપિયા ભાડું આવતું.
શકુરભાઈનું શાળાનું ભણર ધાટકોપરની પ્રખ્યાત શાળા રામજી આસર
વિદ્યાલયમાં થયેલું. મારૂં પણ શાળાનું ભણતર એ જ શાળામાં થયું હતું.
શકુરભાઈ જ્યારે નવમા ધોરણમાં હતા ત્યારે અમારી એક શિક્ષિકા વત્સલા
મહેતાએ શકુરભાઈનો ગુજરાતી સાહિત્યમાં રસ ઓળખી લઈને એમને
લખવામાટે પ્રોત્સાહન આપ્યું. શાળાના વાર્ષિક મેગેજીન ‘પૂષા’ માં બે વાર
એમના લેખ છપાયા.દશમાં ધોરણમાં યોજાયેલી કાવ્ય સ્પર્ધામાં એમને બીજું
ઈનામ મળેલું.શાળાનો સમય છોડી, શકુરભાઈ સાહિત્યનાં વાંચન, કવિ
સંમેલનોમાં શ્રોતા તરીકે હાજરી આપવી,વાસણની દુકાને પિતાની મદદમાં
રહેવું વગેરે પ્રવૃતિઓમાં બાકીનો સમય પસાર કરતા.
“ખાનદાનીના સંસ્કાર એમને નાનપણમાં જ મળી ગયેલા. એક વાર એમના
પિતાએ એમને એમના એક ભાડુઆતને ત્યાં ભાડું વસુલ કરવા મોકલેલા.
ભાડુઆતને ત્યાં ગયા તો ખબર પડી કે ભાડુઆતની નોકરી છૂટી ગયેલી
એટલે ભાડું આપી શક્યા ન હતા. શકુરભાઈએ એમના પિતાને આ વાત કરી
તો એમના પિતાએ કહ્યું કે એમને આપણા કરિયાણાવાળા પાસેથી જોઈતું
અનાજ અપાવી દેજે, અને નોકરી ન મળે ત્યાં સુધી ભાડું માગવા ન જતો.”
૧૯૫૮માં SSC પરીક્ષાપાસ કરી મુંબઈની ખાલસા કોલેજમાં વિજ્ઞાનની
શાખામાંF.Y. Sc. અને Int. Sc. નો કોર્સ કર્યો. Int. Sc. માં ખૂબ જ સારા માર્કસ
આવ્યાએટલે મુંબઈની ભારત ભરમાં પ્રખ્યાત UDCT માં એડમીશન મળ્યું.
અહીંથીએમણે ૧૯૬૫માં B.Pharm. ની ડીગ્રી મેળવી.
કોલેજ અભ્યાસના આ વર્ષો દરમ્યાન પણ એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ
વધતો જ રહ્યો. એમની પ્રથમ કવિતા “નવનીત” સામયિકમાં છપાઈ, અને
ત્યારથી એમનું સર્જન સમયાંતરે પ્રગટ થતું રહ્યું. આ ગાળા દરમ્યાન એ
સમયના જાણીતા કવિઓ અને લેખકોને મળવાનો અને એમની સાથે મૈત્રી
બાંધવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો, જેમાં રાજેન્દ્ર શાહ અને
સિતાંસુ યશચંદ્ર જેવા જાણીતા સાહિત્યકારોનો પણ સમાવેશ થઈ જાય છે.
એમનો સાહિત્યમાં રસ માત્ર ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રત્યે સિમીત ન
રહી,બંગાલી અને અંગ્રેજી સાહિત્યમાં પણ એમનું વાંચન જારીરહ્યું. કોલેજના
દિવસોમાંજ ખાસ બંગાલી ભાષા શીખવાના વર્ગોમાં જોડાઈને એમણે
બંગાલી ભાષા શીખી લીધી હતી.
૧૯૬૫માં B.Pharm. ની ડીગ્રી મેળવી થોડા સમય માટે તેઓએ ૧૫૦
રૂપિયા પગારની Medical Reprentative તરીકે નોકરી કરી, અને ત્યાર બાદ
૧૯૬૬ થી ૧૯૭૨ સુધીઅલગ અલગ કંપનીઓમાં Manufacturing ક્ષેત્રમાં
નોકરી લીધી.
૨૬ વર્ષની વયે શકુરભાઇના લગ્ન હવ્વાબેગમ સાથે થયા. આ વડિલોએ
નક્કીકરેલા લગ્ન હતા. ૧૯૬૭ અ ને૧૯૭૨વચ્ચે એમને ત્યાં સલીમ અને
સાહીરબે પુત્ર અને એક પુત્રી નસીમનો જન્મ થયો.
(સરવૈયા દંપતિ)
૧૯૭૨માં એમના મિત્રો પ્રતાપ ભટ્ટ, અશ્વિન શાહ, અરૂણ ઠાકર અને
પ્રવીણ ભાયાણીના આગ્રહથી સહ કુટુંબ અમેરિકા આવ્યા અને કામય માટે
અમેરિકામાં સ્થાયી થયા.
પ્રતાપ ભટ્ટે એમને સ્પોન્સોર કરેલા. અમેરિકામાં ન્યુયોર્કમાં આવ્યા પછી
તરત જએમને એક ડ્રગ સ્ટોરમાં નોકરી મળી ગઈ. ત્યાર બાદ ૧૯૮૪માં
ન્યુયોર્ક અને ન્યુજર્સીની અલગ અલગ ફાર્મસીઓમાં નોકરી કરી.
“વેપારીના પુત્ર હોવાથી એમના લોહીમાં વેપારી મનોવૃતિ તો હતી જ
એટલે૧૯૮૪માં એમણે ન્યુયોર્કમાં “SHERMAN PHARMACY “ખરીદી
લીધી”
“ અલ્લાહની મહેરબાનીથી આજે ૭૫ વર્ષની વયે પણ એમના કુટુંબની
મદદથી એ ફાર્મસી ચલાવે છે.”
“શકુરભાઈના ત્રણે સંતાનો સલીમ, સાહિર અને નસીમ ત્રણે અલગ અલગ
ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ ધરાવે છે.”
(શકુરભાઈની શર્મન ફાર્મસી)
વિજ્ઞાનના વિષયમાં અભ્યાસ કર્યો, Pharmacy જેવી લાઈનમાં વ્યવસાય
કર્યો છતાં સાહિત્યની દુનિયામાં એમણે જે પ્રગતિ કરી એ આશ્ચર્યજનક છે.
અત્યાર સુધીમાં એમના ત્રણ પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે અને બે થોડા
સમયમાં જ પ્રસિધ્ધ થશે. એમના બધા જ પુસ્તકો ગીત, કવિતા, ગઝલ અને
અછંદાસ કાવ્યોના છે.
‘ઘરની સાંકળ સુધી’ કવિતા સંગ્રહમાં એમની આસરે ૧૧૪ વિચાર પ્રેરક
કવિતાઓ છે,
જ્યારે ‘બે દમ ચલમના’ નામના ગઝલ સંગ્રહમાં, વાંચતાં જ ગમી જાય
એવી ૧૦૧ ગઝલછે. આ લેખની મર્યાદામાં રહી હું એ પાંચે પુસ્તકોનું
વિવેચન ન કરી શકું
છતાં એમની ગઝલોની થોડી પંક્તિઓ નમુના તરીકે રજુ કરૂં છું.
‘બે દમ ચલમના” ની પહેલી ગઝલમાં જ શકુરભાઈ કહે છે,
“મારી કલમની વાત છે, બળતી ચલમની વાત છે,
બે દમ ભરો ને પરમ સુખ, ઊંડા મરમની વાત છે.”
અને ભાઈ ખરેખર મેં એ ચલમ હાથમાં પકડી ત્યાં જ મને તો નશો
ચડી ગયો.
શકુરભાઈની ગઝલો ચોટીલી છે,
થોડા સરળ શબ્દોમાં સ્પષ્ટ વાત કહી દે છે, કશું ગોળ ગોળ નહિં.
“ ચાંદ કાઢો ચાંદનીમાંથી પછી બાકી શું રહે?
વાત કાઢો ખાનગીમાંથી બાકી શું રહે?
જીંદગી આખી વિચારી ને હવે થાકી ગયો છું,
મન કાઢો માનવી માંથી બાકી શું રહે?”
આત્મ વિશ્વાસથી ભરેલા શકુરભાઇ કહે છે,
“કામ મારૂં છે જ આવું “
============================================
આલેખન= શ્રી પી.કે.દાવડા સાહેબ
આદરણીયશ્રી. ગોવિંદભાઈ પટેલ
આપના પરમ મિત્ર શ્રી. શકુરભાઈને માણીને અને જાણીને ખુબ જ આનંદ થયો
LikeLike
માનનીય શ્રી કિશોરભાઇ
આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike