૧૨ જુલાઇ ” રાષ્ટ્રીય કવિતા દિવસ “ નિમિતે પ્રથમ કવિ સંમેલન વિષે….
===============================================================
આજ કાલ કવિ સંમેલન જેવા અનેક અવનવા કાર્યક્રમ યોજાય છે . તો
અમારી ચેનલ દ્વારા પ્રથમ કવિ સંમેલન અંગે સંશોધન કરવાનું કાર્ય અમે
ગોદડિયાજીને સોપ્યું. જેની ફળશ્રુતિ સ્વરુપે આ માહિતિ પ્રાપ્ત થઇ છે….
તો દિલ થામ કે પઢિયે……
======================================================
“ગોદડિયા ચેનલ “ ના પત્રકાર ” બુઢ્ઢેશ્વર ગરબડેશ્વર ગોદડિયાજી “ દ્વારા==
પ્રસ્તુત દુનિયાના પ્રથમ કવિ સંમેલન અંગેનો હેવાલ જાણો અને માણો.
=======================================================
સવાલ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન ક્યારે ભરાયું હતું ?
જવાબ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન ” મહાભારત કાળ ” માં ભરાયું હતું .
સવાલ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન કયા સ્થળે ભરાયું હતું ?
જવાબ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન હરિયાણા રાજ્યના ” કુરુક્ષેત્ર “માં ભરાયું હતું .
સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં વક્તા (કવિ )તરીકે કયા કવિ હતા ?
જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલન વક્તા (કવિ ) ” શ્રી કૃષ્ણ ” ભગવાન હતા .
સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કેટલા શ્રોતાઓ હતા ?
જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં લાખો શ્રોતાઓ હતા પરંતુ ” અર્જુન” એકલા
જ કવિ સંમેલન કેરો આસ્વાદ સાંભળી શકતા હતા.
સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતાનો વિષય કયો હતો ?
જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતાનો વિષય ” ગીતા જ્ઞાન ” હતો.
સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિએ કવિતામાં શેનું વિવરણ કર્યું હતું ?
જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિએ માનવ જાતને કર્મ -કલ્યાણ-નિતિ-
ધર્મ- ફરજ-એવા ઉદાહરણો આપી સત્ય માટે સ્નેહીજનો સામે પણ લડવું
એવા અનેરા ઉપદેશનું વિવરણ કર્યું હતું .
સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમા કવિતામાં કેટલી પંક્તિઓ હતી ?
જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતામાં ૧૪૦૦ પંક્તિઓ એટલે કે ૭૦૦
શ્લોક હતા .
=================================================================
આ રાજ્યનું નામ હરિયાણા કેમ પડયું ??????????????????????????????????????
જ્યારે મહાભારત યુધ્ધ હરિયાણાના કુરુક્ષેત્રમાં લડાયું ત્યારે એક પક્ષના સૈનિકો સુર્યાસ્ત પછી
એક બીજાને મળતા ખબર અંતર લેતા પણ પક્ષને દગો દઇ બીજા પક્ષમાં જતા નહિં.
જ્યારે કુરુક્ષેત્રમાં ભગવાને ગીતા જ્ઞાન આપ્યું પછી હરિયાણાના રાજકારણમાં એક પક્ષે કહ્યું
” હરિ – આના ” એટલે બીજા પક્ષમાંથી હરિ નામનો માણસ ભજન ( ભજનલાલ )કરતો કરતો
બીજા પક્ષમાં પેસી ગયો ને હરિ-આના…હરિ-આના કરતાં પક્ષ પલટાની શરુઆત થઇ ગઇ !!!!!
========================================.=============================..
સ્વપ્ન જેસરવાકર