એ જ સાચો કાયદો…તુલસી વિવાહ …(કટાક્ષ કાવ્ય)
===============================================
એ જ સાચો કાયદો … તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)
===================================
દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય
લક્ષ્મીવર પરણે વૃંદાને એતો કેવું અજબ જેવું કહેવાય
સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ તો દ્વીપત્ની પદ સોહાય
દેવોમાં વાદ વિવાદ ને ચર્ચા કેરો દોર ઘડી ઘડી થાય
નારદ આમતેમ દોડે બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય
હવે સમય ઘણો ઓછો રહ્યો કૈંક નવા રસ્તાઓ વિચારાય
સમગ્ર બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું હવે શો કરવો ઉપાય
વિષ્ણુજી વિચારે ચડીયા સ્વર્ગના દેવોને કેમ સમજાવાય
વિચારે ચઢી વિચરણ કરતાં સામેથી નારદજી ભટકાય
નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય
શોધી લાવું સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય
“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય
નેતાઓ ને જરૂર પડે તો ત્યાં કાયદા પણ બદલાઈ જાય
શીખી લઈએ તેમની પાસેથી તો સ્વર્ગ ભૂમિએ એવું થાય
કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહીં કયાંક દેખાય
નહિ તો ‘સ્વપ્ન’ને પૂછીએ ને કયાંકથી સરનામું મળી જાય
=============================
સ્વપ્ન જેસરવાકર
“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો”
———
ગુજરાતીને માફક આવી જાય એવી ફોર્મ્યુલા !!
LikeLike
આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,,
આપના પ્રેમ સ્નેહથી નિતરતા અનન્ય આર્શિર્વાદ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
વાહ! દેવભૂમિની રંગત આપે હૃદયે વરસાવી દીધી…શ્રી ગોવિંદભાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રીરમેશભાઇ , (आकाशदीप),
આપના પ્રેમ સ્નેહથી નિતરતા અનન્ય સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
एक उत्तम व्यंग रचना
LikeLike
मान्यवर
आपके शुभ संदेश्के लिये बहुत धन्यवाद
LikeLike
કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહીં કયાંક દેખાય
નહિ તો ‘સ્વપ્ન’ને પૂછીએ ને કયાંકથી સરનામું મળી જાય
વાત સાચી છે .સ્વપ્ન’ પાસે સબ દર્દો કી દવા હાજર જ હોય છે !
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,
આપના પ્રેમ સ્નેહથી નિતરતા અનન્ય સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
ખરેખર ખૂબ જ મજા આવી. બહુ સરસ.
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,
આપના ઉત્સાહ વર્ધક સંદેશ બદલ ખુબ આભાર
LikeLike