ન લખવાના બહાના
====================
લખો લખો, લેખ લખો તમારે;
બ્લોગો ઘણાં છે, કોઈ તો સ્વીકારે.
પણ શું લખું? કંઈપણ સુઝે ના,
મને બીક લાગે કે લોકો હસે ના.
ભૂતકાળ મારો હતો સાવ સાદો,
ભૂતકાળ સામે સૌને છે વાંધો!
છે ભવિષ્ય મારું થોડું જ બાકી,
તાકી રહ્યો છું, પણ ગયો છું થાકી;
હવે, વર્તમાનમા હું દોડી રહ્યો છું,
બસ એક સફળતા શોધી રહ્યો છું;
બસ તે પછી મારા લેખો વંચાસે,
સાદા શબદનો પણ ગુઢ અર્થ થાસે.
ભરાસે બધા બ્લોગ મારા જ લેખથી,
કોંમેન્ટ પણ થાતા હશે અતિ વેગથી.
ક્યારે આ સપના પૂરા થવાના?
કે આ બધા ન લખવાના બહાના?
======================
રચયિતા== શ્રી .પી. કે. દાવડા
દાવડા ભાઈ તમે મને એક વખત કીધેલું કે મારે લખતા રહેવું કોઈની કોમેન્ટની આશા રાખ્યા વગર અને મને એ વાત ગમી મારા મનોરંજન માટે લખવું એ બહુ અગત્યનું છે कर्मण्ये वा घिकारस्ते माँ फलेषु कदाचन
LikeLike
આદરણીય વડિલ શ્રી આતાજી
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમમાં અનેરો જાદુ છે.
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike
દાવડાજી, ભુલો ભુતકાળને, ‘ને ભવિષ્યનું જરા ના વિચારો,
ફક્ત વર્તમાનમાં જ રહી, પેન તમારી પકડી લખતા રહો,
પ્રતિભાવોની આશાઓ ભલે તમ હૈયે વહેતી રહે,
વર્તમાનમાં છો તો શાને ભવિષ્યનું તમે વિચારે ?
ડાવડા કલમે તો શબ્દો બને અને બનતા રહે,
ત્યારે ચંદ્ર કહે “જરૂર કોઈ ઈશ્વરી શક્તિ એ હશે !”
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting All to Chandrapukar !
LikeLike
આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમમાં અનેરો જાદુ છે.
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike
મને શંકા પડે છે કે દિવાના શું દિવાના છે
સમજદારી થી અળગા થઇ જવાના બધા બહાના છે
તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહી ઓ સાથે
એ કબ્રસ્તાનથી આગળ મને કયાં લઇ જવાન છે
ચાલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વી નો
સુણ્યું છે ધનપતિ ઓ ચંદ્ર પર રહેવા જવાના છે
રહે છે સદા શયાત ના ટોળા મહી તો પણ
જલન ને પુછશો તો કહેશે બંદા ખુદાના છે
LikeLike
ખરેખર તો આ સમજદારીથી અળગા થવાના જ બહાના છે…
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ આપની કલમમાં અનેરો જાદુ છે.
ના સાહેબ આપને તો અળગા નહિ જ થવા દઇએ
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike
આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાંજુબહેન
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમમાં અનેરો જાદુ છે.
બસ અમથી અજાણી એવી જલન માતરીની રચના આપ થકી માણવા મલી
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike
ઉઠે જો હાથ તો દાવડા કલમ પકડી લેજો
બાકી તો બહાના કાઢતા ,ઘણાને જોયા છે
કલાને કામ ઈશ્વરનું સમજી બસ લખી લેજો
બાકી તો કલાકારમાં, ઈશ્વર ઘણાને જોયા છે
ભૂલી જા ટેવવશ જીવી જવાની આ પ્રથાઓને
બાકી તો સફળતા શોધતા, ઘણાને જોયા છે……
LikeLike
વાહ વાહ! હવે કોઈ બહાનું નહિં ચાલે !!
LikeLike
દાવડાજી કવિતા તો તમારી એક ઓળખાણ બની ગઈ છે .લખ્યા વગર તમને જ ચેન નહી પડે .
કોઈ બહાના વગર બસ લખ્યા જ કરો .
દાવડાજી આ કવિતા તમારી મને બહુ ગમી ગઈ
આવી બીજી અનેક લખશો એવી ઈચ્છા છે મારી
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમમાં અનેરો જાદુ છે.
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ આપની કલમમાં અનેરો જાદુ છે.
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike
શ્રી પ્રજ્ઞાંજલિબહેન
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમમાં અનેરો જાદુ છે.
અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર
LikeLike