સરદાર સોરઠો….. ” એકતા અખંડિતતા દિન “


 
સરદાર સોરઠો….. ” એકતા અખંડિતતા દિન  “
===================================
 
મિત્રો આવતી કાલે  ૩૧ ઓક્ટોબર સરદારશ્રીનો જન્મ દિવસ
 
ચાલો  ત્યારે સહુ સાથે મળીને  ઉજવીએ   ……………….
 
    ” એકતા અખંડિતતા દિન  “
 
 
 
 
” મુઝ નાવ પર દરિયાના કેટલા બધા ઘાવ છે
 
  તોફાનો સામે લડવાનો મારો  એજ સ્વભાવ છે
 
  નથી મારા દર્દની દુનિયાના હકીમો પાસે દવા
 
  મારા શર પર એકતા  અખંડિતતાનો તાવ  છે ” 
       
===================================
 
હે કરમસદ ગામ  જ  છે અનેરું ને  રૂડું  
 
આવ્યું છે ભાઈ એતો આણંદથી ઢુંકડું
 
ઝવેરભાઈ ઘેર એમણે જન્મ  ધરિયો
 
વિઠ્ઠલભાઈ જેવો ભાઈ એમને મળીયો
 
બેઉ નામ સરખાં એ કુદરતી કહાણી
 
ભણવા દોટ મૂકી વિલાયત જ ભણી
 
બેરિસ્ટર થઈને વકીલાતને અજમાવી
 
પત્ની મૃત્યુ કેરો સંદેશ દિલમાં છુપાવી
 
ગાંધીજી  હાંકે વકીલાત દીધી છે મૂકી
 
દેશસેવા સાદાઈ કેરા પંથે ગયા છે ઝુકી 
 
બારડોલી સત્યાગ્રહે બ્રિટીશરોને નમાવી
 
ખેડૂતો કેરી અણનમ સરદારીને નિભાવી
 
આઝાદી ટાણે રજવાડાંને એક જ કરાવી 
 
ભવ્ય ભારતની  મોતીની માળા બનાવી
 
એકત્રીસમી ઓકટોબર કદી ના ભૂલાય
 
સરદાર નિર્ણય થકી પ્રજાતંત્ર જ સોહાય
 
========================
સ્વપ્ન જેસરવાકર

18 thoughts on “સરદાર સોરઠો….. ” એકતા અખંડિતતા દિન “

  1. પહેલી જ વાર તમારો બ્લોગ આજે વાંચવાનો શરુ કર્યો અને તે પણ સરદારશ્રીના જન્મ દિવસ
    નિમિત્તે લખેલી પોસ્ટ ” એકતા અખંડિતતા દિન ” દ્વારા . ખુબ જ ગમી.
    નવા વર્ષે નવી નવી રચનાઓ તમારી વાંચવા મળ્યા કરે એવી શુભ ભાવના સહ
    દીપાવલીના આ નવલા દિવસો તન,મન, ધન અને આરોગ્યથી તમારા જીવનને મંગલમય બનાવી અલૌકિક આનંદનો અનુભવ કરાવે એવી શુભ કામના.

    Like

  2. સરદારશ્રીનાં ચરણોમાં કોટિકોટિ વંદન.
    ………………..
    આઝાદી ટાણે રજવાડાંને એક જ કરાવી

    ભવ્ય ભારતની મોતીની માળા બનાવી

    એકત્રીસમી ઓકટોબર કદી ના ભૂલાય

    સરદાર નિર્ણય થકી પ્રજાતંત્ર જ સોહાય
    શ્રી.ગોવિંદભાઈ ….સરસ

    Ramesh patel(Aakashdeep)

    Like

  3. આદરણીયશ્રી.ગોવિંદભાઈ

    એકતાનું પ્રતિક એટલે સરદાર પટેલ

    અખંડિતતાનું પ્રતિક એટલે સરદાર પટેલ

    એકતા = એક + હતા ……. જે એકતાનું પ્રતિક હતા.

    સરસ સોરઠો છે સાહેબ

    તમે 31 તારીખને વધુ યાદગાર બનાવી સાહેબ ધન્ય છે તમને

    ડૉ.કિશોરભાઈ પટેલ

    Like

    1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

      આપના જેવા અનુભવી વડીલોના બ્લોગમાં ઘણું જાણવા મળે છે.

      ગુજરાતી પ્રતિભા પરિચય દ્વારા ઘણું જાણવા મળ્યું.

      બસ આપને નમન અને ખુબ આભાર.

      Like

    1. શ્રી રામુજી

      આપની વાત સાચી છે જે અસરદાર હોય એ જ સરદાર બની શકે.

      પ્રધાન મંત્રીના એક લોખંડી ઉમેદવાર પણ…..દેશનું કિસ્મત…

      બસ પાવન પગલાં પડી અનેરો સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર.,

      Like

  4. કોટી કોટી વંદન સાથે સરદાર જેવી મહાન વિભૂતિને યાદ કરીએ ત્યારે અમને જે ઇતિહાસના સાક્ષી થવાનું સદભાગ્ય મળ્યું તે વધુ યાદ આવે.સરદારની ગણના પ્રામણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શકિત ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. સરદારે વી. પી. મેનનને, કે જેઓ ઉપરી સરકારી સનદી હતા તેમજ ભારતના ભાગલા વખતે સરદાર સાથે કામ કરી ચુક્યા હતા, રાજ્ય ખાતામાં મુખ્ય સચિવ બની તેમના ખાસ સહયોગી બનવા કહ્યું હતુ. ૬ મે ૧૯૪૭ થી સરદારે રાજાઓની સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી હતી કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લેઈ શકાય. સરદારે સામાજીક મુલાકાતો તેમજ અનઔપચારીક વાતાવરણ, જેમકે તેમના દિલ્હી ખાતેના ઘરે જમવા કે ચા માટે બોલાવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ મુલાકાતો વખતે તેમણે કહ્યું હતુ કે કૉંગ્રેસ તથા રજવાજવાડીઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે રજવાડાઓએ સદ્ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું રહેશે. સરદારે રાજવીઓની સ્વદેશાભિમાનની લાગણીને ઉકસાવતા કહ્યું કે તેમણે એક જવાબદારી ભર્યા શાષકની જેમ, કે જેમને પોતાની જનતાના ભવિષ્યની કદર હોય, પોતાના રાજ્યની સ્વતંત્રતામાં સહભાગી થવુ જોઈએ. તેમણે ૫૬૫ રાજવીઓને એ બાબત ઉપર સંમત કર્યા હતા કે તેમની પ્રજાની લાગણીઓ વિરુદ્ધ જઈને ભારતથી સ્વતંત્ર રહેવું તે અશક્ય જણાતું હતું. તેમણે વિલણીકરણ માટે રાજવી સામે સાનુકુળ શરતો મુકી કે જેમાં રાજવીઓના વંશજો માટે અંગત ખર્ચ મુડીની પણ જોગવાઈ કરાઈ હતી. રાજવીઓમાં દેશપ્રેમની લાગણીને ઉકસાવતી વખતે સરદારે જો જરૂર પડે તો બળનો રસ્તો અપનાવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો અને વિલણીકરણના દસ્તાવેજો ઉપર સહી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાખી હતી. ૩ને બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા,

    Like

    1. આદરણીય શ્રીએ પ્રજ્ઞાજુબહેન,

      આવી અમુલ્ય અલભ્ય માહિતી આપના જેવા અનુભવી વડીલો દ્વારા જ માણવા મળે.

      સરદારના આ પગલાનો આપે અનોખો પ્રકાશ પાડ્યો છે.

      આપના ચરણોમાં વંદન અને આભાર.

      Like

Leave a reply to સુરેશ જવાબ રદ કરો